
સ્મશાન યાત્રામાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે રાજકોટ આવી રહ્યા છે. સંગઠનના આગેવાનો, કેન્દ્રીય મંત્રી સહિતના રાજકીય આગેવાનો સ્મશાન યાત્રામાં હાજર રહેવાના છે.
Vijay Rupani Funeral : અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજયરૂપાણીનું નિધન થયા બાદ આજે તેમના અંતિમ સંસ્કારની વિધી કરવામાં આવી હતી. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
► આ પણ વાંચો : કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
12 જૂનની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2.30 વાગ્યે પરિવાર હીરાસર એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાંથી તેમને ગ્રીનલેન્ડ ચોકડી અને ત્યાર બાદ વિવિધ વિસ્તારો થઈને નિર્મલા રોડ પરની પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.
રાજકોટ સ્થિત નિવાસસ્થાને અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણીયા, બી.એલ. સંતોષ, નીતિનભાઈ પટેલ, સીઆર પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના નિવાસસ્થાનેથી 7.40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. ત્યાર બાદ 9.40 વાગ્યે સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી. જ્યાં વિજય ભાઈ અમર રહોના નારા લાગ્યા હતા. બે કલાક ચાલેલી સ્મશાનયાત્રામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ જામી હતી. તેમજ રાજકોટવાસીઓ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને અંજલિ આપવા માટે લાઇનો લગાવી હતી. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ જામતી જતી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot Vijay Rupani Funeral